1. ફૂલેલી પૂરી પાણીમાં ......... છે.
ઉત્તર :
તરે

2. પૂરીનો લૂવો પાણીમાં ......... છે.
ઉત્તર :
ડૂબે

3. જેવસ્તુ પાણીથી ............ હોય તે પાણી પર તરે છે.
ઉત્તર : હલકી

4. જે વસ્તુ પાણી કરતાં ભારે હોય તે પાણીમાં .......... છે.
ઉત્તર : ડૂબે

5. કારણ આપો : ફૂલેલી પૂરી થોડીવાર પછી પાણીમાં ડૂબી જાય છે.
ઉત્તર :
ફૂલેલી પૂરી થોડીવાર પછી પાણીમાં ડૂબી જાય છે; કારણ કે ફૂલેલી પૂરીમાં હવા ભરેલી હોય છે. પાણીમાં મૂકતાં આ હવાની જગ્યાએ છીદ્રો દ્વારા પૂરીમાં પાણી ભરાય છે. તેથી પૂરીનું વજન વધે છે અને તે પાણીમાં ડૂબી જાય છે.

6. નીચેનામાંથી કઈ વસ્તુ પાણી પર તરે છે?
ઉત્તર :
પાંદડું

7. કારણ આપો : લોખંડની ખીલી પાણીમાં ડૂબી જાય છે, પણ થાળી કે વાટકી પાણીમાં તરે છે.
ઉત્તર :
લોખંડની ખીલી પાણીમાં ડૂબી જાય છે; કારણ કે ખીલી જેટલા પાણી પર હોય છે તે પાણી કરતાં ખીલીનું વજન વધારે છે, માટે તે ડૂબી જાય છે. વાટકી કે થાળી જેટલા પાણીનો વિસ્તાર રોકે છે તેટલા પાણીનું વજન થાળી કે વાટકી કરતાં વધુ હોવાથી થાળી કે વાટકી પાણી પર તરે છે.

8. નીચેનામાંથી કઈ વસ્તુ પાણીમાં તરે છે અને કઈ વસ્તુ પાણીમાં ડૂબે છે; તે મુજબ વર્ગીકરણ કરો :
(લાકડું, ખીલી, પ્લાસ્ટિકની ખાલી બંધ બોટલ, રૂપિયાનો સિક્કો, બ્રશ, પેન્સિલ, પથ્થર, પાંદડું, ચૌક, ચમચી)
ઉત્તર :
પાણીમાં તરે :
લાકડું, પ્લાસ્ટિકની ખાલી બંધ બોટલ, બ્રશ, પેન્સિલ, પાંદડું
પાણીમાં ડૂબે : ખીલી, રૂપિયાનો સિક્કો, પથ્થર, ચૌક, ચમચી

9. સાબુ પાણીમાં ડૂબી જાય છે.
ઉત્તર :
સાચું

10. નીચે આપેલા પદાર્થો પાણીમાં ડૂબે કે તરે તે જણાવો :
(1) ખાલી વાડકી -
પાણીમાં તરે છે
(2) પથ્થર ભરેલી વાટકી - પાણીમાં ડૂબે છે.
(3) ટાંકણી - પાણીમાં ડૂબે છે.
(4) પાણીથી અડધી ભરેલી ડોલ - પાણી પર તરે છે.
(5) પાણીથી આખી ભરેલી ડોલ - પાણીમાં ડૂબે છે.
(6) એલ્યુમિનિયમનું વરખ - પાણીમાં તરે છે.
(7) સાબુ - પાણીમાં ડૂબે છે.
(8) પ્લાસ્ટિકની સાબુ મૂકેલી પ્લેટ - પાણી પર તરે છે.
(9) બરફનો ટુકડો - પાણી પર તરે છે.

11. તમારી આસપાસથી મળતા કેટલાક પદાર્થ લઈને તે પાણી પર તરે છે કે ડૂબે છે તે ચકાસતો પ્રયોગ કરો.
ઉત્તર : 
હેતુ : આપેલ વસ્તુ/પદાર્થ પાણીમાં ડૂબે છે કે તરે છે, તે ચકાસવું.
સાધનો અને પદાર્થો : કાચનો ગ્લાસ / બાઉલ, પાણી, લાકડાનો ટુકડો, ચાવી, રબર, દિવાસળી, પથ્થર, નાની પેન્સિલ
આકૃતિ :

પદ્ધતિ : કાચના બે/ત્રણ ગ્લાસ/બાઉલ લો. તેમાં છલોછલ કરતાં સહેજ ઓછું પાણી ભરો. વારાફરતી તમને આપેલ વસ્તુઓને તેમાં મૂકતાં જાવ અને વસ્તુ પાણીમાં તરે છે કે ડૂબી જાય છે. તેનું અવલોકન કરતાં જાવ.
અવલોકન :

ક્રમ

તરતી વસ્તુઓ

ડૂબી જતી વસ્તુઓ

પદાર્થ

1.

લાકડાનો ટુકડો

લાકડું

2.

લોખંડની ચાવી

લોખંડ

3.

દિવાસળી

લાકડું

4.

પથ્થર

પથ્થર

5.

પેન્સિલ

લાકડું

6.

રબર

રબર


નિર્ણય : લાકડાનો ટુકડો, દિવાસળી, પેન્સિલ પાણીમાં તરે છે. લોખંડની ચાવી, પથ્થર, રબર, પાણીમાં ડૂબી જાય છે.

12. કારણ આપો : ખાલી પ્લાસ્ટિકની બોટલ પાણી પર તરે છે, જ્યારે પાણીથી ભરેલી બોટલ પાણીમાં ડૂબે છે.
ઉત્તર : કારણ કે, ખાલી પ્લાસ્ટિકની બોટલ વજનમાં પાણી કરતાં હલકી છે જયારે પાણીથી ભરેલી બોટલ પાણી કરતાં વજનમાં ભારે હોય છે. આથી, ખાલી પ્લાસ્ટિકની બોટલ પાણી પર તરે છે, જ્યારે પાણીથી ભરેલી બોટલ પાણીમાં ડૂબે છે.

13. કારણ આપો : એલ્યુમિનિયમનું વરખ અને તેમાંથી બનાવેલ ગોળો કે કપ બંને પાણીમાં તરે છે.
ઉત્તર : એલ્યુમિનિયમનું વરખ અને તેમાંથી બનાવેલ ગોળો કે કપ પાણી પર મૂકતાં તે પાણીમાં જેટલી જગ્યા રોકે છે, તેટલા પાણી કરતાં તેનું વજન ઓછું હોવાથી તે પાણીમાં તરે છે.

14. કારણ આપો : સ્ટીમર સોય કરતાં પણ વજનદાર હોવા છતાં પણ પાણી પર તરે છે.
ઉત્તર :
સ્ટીમર પાણી પર જેટલી જગ્યા રોકે છે તેટલું પાણી સ્ટીમરના કરતાં ઘણું ભારે હોય છે, માટે સ્ટીમર પાણીમાં તરે છે, જ્યારે સોય પાણીમાં ડૂબી જાય છે.

15. પાણી ભરેલા પ્યાલામાં લીંબુ મૂકતાં તે ......... છે.
ઉત્તર :
ડૂબે

16. વધુ મીઠાવાળા પાણીમાં લીંબુ ............ છે.
ઉત્તર :
તરે

17. ........... પાણીમાં ઈંડાં તરે છે.
ઉત્તર :
ખારા

18. સાદા પાણીમાં ઈંડાં ........ છે.
ઉત્તર :
ડૂબે

19. મૃત દરિયાને ...............પણ કહે છે.
ઉત્તર :
ખારો દરિયો

20. મૃત દરિયાના 1 લીટર પાણીમાં કેટલા ગ્રામ મીઠું છે?
ઉત્તર :
300

21. મૃત દરિયો ક્યાં આવેલો છે?
ઉત્તર : જોર્ડન અને ઇઝરાઇલની વચ્ચે

22. મૃત દરિયાની ખાસિયતો શું છે?

ઉત્તર : મૃત દરિયાનું પાણી બીજા દરિયાના પાણી કરતાં ખૂબ જ ખારું છે. તેના 1 લિટર પાણીમાં 300 ગ્રામ જેટલું મીઠું ઓગળેલું હોય તેટલી ખારાશ છે. રસપ્રદ વાત તો એ છે કે, જે માણસને તરતાં ન આવડતું હોય તે પણ આ દરિયામાં ડૂબતા નથી. જ્યારે પાણીમાં પડે ત્યારે તે પાણીની ઉપર જાતે જ તરવા લાગે છે.

23. દ્રાવ્ય પદાર્થ એટલે શું?
ઉત્તર :
જે પદાર્થ પાણીમાં ઓગળી જાય તે પદાર્થને દ્રાવ્ય પદાર્થ કહેવાય.

24. અદ્રાવ્ય પદાર્થ કોને કહે છે?
ઉત્તર :
જે પદાર્થ પાણીમાં ઓગળતો નથી તે પદાર્થને અદ્રાવ્ય પદાર્થ કહે છે.

25. નીચેનામાંથી દ્રાવ્ય પદાર્થ કયો નથી?
ઉત્તર :
માટી

26. તેલ પાણીમાં .......... છે.
ઉત્તર :
અદ્રાવ્ય
27. નીચેના પદાર્થોનું પદાર્થ પાણીમાં ઓગળે છે દ્વાવ્ય પદાર્થ) અને પદાર્થ પાણીમાં ઓગળતો નથી. 
(અદ્રાવ્ય પદાર્થ); તે મુજબ વર્ગીકરણ કરો : (શોકનો ભૂકો, ખાંડ, દૂધ, પથ્થર, તેલ, મીઠું, રેતી, લાકડાનો છોલ, મોરથૂથુ, સાકર)
ઉત્તર :
પાણીમાં ઓગળતા પદાર્થો :
 ખાંડ, દૂધ, મીઠું, મોરથૂથુ, સાકર
પાણીમાં નહીં ઓગળતા પદાર્થો : ચોકનો ભૂકો, પથ્થર, તેલ, રેતી, લાકડાનો છોલ

28. વિકાસને પાણીમાં ખાંડ ઝડપથી ઓગળે તે માટેની થોડી રીત બતાવો.
ઉત્તર :
 પાણીમાં ખાંડને ઝડપથી ઓગળે તે માટે
(1) પાણીમાં ખાંડ નાંખીને ખૂબ ઝડપથી થોડીવાર હલાવવું.
(2) પાણીમાં ખાંડ નાખીને તેને ગરમ કરવું.

29. મીઠું પાણીમાં ઓગળ્યા પછી જોઈ શકાય છે.
ઉત્તર : 
ખોટું

30. પાણીમાં મીઠું ઓગળ્યા પછી કેમ દેખાતું નથી?
ઉત્તર :
 પાણીમાં ઓગળ્યા પછી મીઠું દેખાતું નથી; કારણ કે મીઠું રંગહીન છે અને પાણી પણ રંગહીન છે તથા તે પાણીમાં પૂરેપૂરું ઓગળી જાય છે.

31. ચૉકનો ભૂકો પાણીમાં ઓગાળ્યા પછી થોડા સમય મિશ્રણને મૂકી રાખતાં શું થાય છે?
ઉત્તર : ચોૉકનો ભૂકો પાણીમાં ઓગળ્યા પછી થોડા સમય મિશ્રણને મૂકી રાખતા ચૌકનો ભૂકો પાણીમાં નીચે બેસી જાય છે.

32. માટીવાળા પાણીને કપડાંથી ગાળતાં શું પરિણામ આવે છે?
ઉત્તર : 
માટીવાળા પાણીને કપડાંથી ગાળતાં કપડાં પર માટી અલગ તરી આવે છે.

33. મીઠાના મિશ્રણને કપડાથી ગાળતાં મીઠું જુદું તરી આવે છે.
ઉત્તર :
 ખોટું

34. તેલ પાણી કરતાં ......... છે.
ઉત્તર : 
હલકું

35. થાળીમાં પાણી અને તેલનાં બે ટીપાં થોડાં અંતરે મૂકી થાળી ત્રાંસી કરતાં શું થાય છે?
ઉત્તર :
 થાળીમાં પાણી અને તેલ મૂકી થાળી ત્રાંસી કરતાં પાણીનું ટીપું પહેલું સરકે છે જ્યારે તેલ પછી સરકે છે.

36. ખાંડનું પાણી અને સાદું પાણી બંનેમાંથી પહેલું કોણ સરકે છે?
ઉત્તર : 
સાદું પાણી

37. શાક ઉપર ઢાંકેલી થાળી ઉઘાડતાં ...... નાં ટીપાં નીચે પડે છે, જ્યારે ........ નાં ટીપાં થાળી પર ચોટી રહે છે.
ઉત્તર : 
પાણી, તેલ

38. કુદરતમાં પાણી આપણને કેટલાં સ્વરૂપમાં મળે છે?
ઉત્તર : ૩

39. પાણીના પ્રવાહી સ્વરૂપને ........... કહે છે.
ઉત્તર :
 પાણી

40. પ્રવાહીને ગરમ કરતાં તે ........... સ્વરૂપમાં રૂપાંતર પામે છે.
ઉત્તર : 
વાયુ

41. પાણીના વાયુસ્વરૂપને શું કહે છે?
ઉત્તર :
 વરાળ

42. પાણીને ગરમ કરતાં તેનો બરફ બને છે.
ઉત્તર : 
ખોટું

43. ........... બનાવવા પાણીને ગરમ કરવું પડે છે.
ઉત્તર :
 વરાળ

44. સૂર્યપ્રકાશની મદદથી ભીનાં કપડાંનું પાણી વરાળ બની ઊડી જાય છે.
ઉત્તર : 
સાચું

45. તમારા ઘરમાં સૂર્યપ્રકાશની મદદથી કઈ કઈ વસ્તુની સુકવણી કરવામાં આવે છે? ચર્ચા કરો.

46. .............. એ મીઠાના અન્યાયી કાયદાનો વિરોધ કર્યો હતો.
ઉત્તર : 
ગાંધીજી

47. ગાંધીજીએ દાંડીયાત્રા ક્યારે કરી હતી?
ઉત્તર : 
ઈ.સ. 1930

48. દાંડીયાત્રામાં ઘણા બધા લોકોએ ભાગ લીધો હતો.
ઉત્તર :
 સાચું

49. ગાંધીજીએ દાંડીયાત્રા ............ થી શરૂ કરી હતી.
ઉત્તર : 
અમદાવાદ

50. મીઠાના કાયદાનો વિરોધ કરતાં ગાંધીજીએ શું કહ્યું હતું?
ઉત્તર :
 મીઠાના કાયદાનો વિરોધ કરતાં ગાંધીજીએ કહ્યું હતું કે, જે વસ્તુ પ્રકૃતિ તરફથી મફતમાં મળે છે તે માટે કોઈ કાયદો મનાઈ ન કરી શકે.

51. દાંડીયાત્રા ક્યાંથી શરૂ કરી ક્યાં પૂર્ણ કરવામાં આવી હતી?

ઉત્તર : દાંડીયાત્રા ગુજરાતના અમદાવાદથી શરૂ કરીને દાંડીના દરિયાકિનારે પૂર્ણ કરવામાં આવી હતી.

52. મીઠું કેવી રીતે પકવવામાં આવે છે?
ઉત્તર :
 દરિયાના પાણીને જમીનમાં છીછરો ખાડો કરીને ભરવામાં આવે છે. થોડા દિવસ આ ખાડામાં પાણી ભરેલું જ રાખવામાં આવે છે. આ પાણી સુકાઈ જાય એટલે જમીન પર માત્ર મીઠું જ રહે છે; આ રીતે દરિયાના પાણીની મદદથી મીઠું પકવવામાં આવે છે.

53. તમારે તમારો ધોયેલો હાથરૂમાલ ઝડપથી સૂકવવો છે તો તમે શું કરશો?

ઉત્તર :
(1) મારો હાથરૂમાલ ઝડપથી સૂકવવા પહેલાં ભાર દઈને નીચોવીને પછી તેને સૂર્યપ્રકાશમાં સૂકવીશ.
(2) મારો હાથરૂમાલ બરોબર નીચોવીને તેની પર ગરમ ઇસ્ની ફેરવીને સૂકવીશ.

54. ચા બનાવવા માટે પાણીમાં શું શું નાખશો ? તેનાથી કઈ કઈ વસ્તુઓ પાણીમાં ઓગળશે?
ઉત્તર : 
ચા બનાવવા દૂધ, સાકર અને ચાની પત્તીને પાણીમાં નાખીશું. ચામાં પાણી, દૂધ, સાકર એકબીજામાં ભળી જાય છે, જ્યારે ચાની પત્તીનો રંગ અને સ્વાદ તેમાં ભળે છે. પરંતુ ચાની પત્તી અદ્રાવ્ય રહે છે.

55. ચાને ગળણી વડે ગાળતાં ગળણીમાં શું બાકી રહે છે?
ઉત્તર :
 ચા પત્તી