-->
3 thi 8 nu material

NEW UPDATE

STD 10 SCIENCE UNIT 5 Tatvonu Aavartniy Vargikaran 1 Mark Questions ધોરણ ૧૦ વિજ્ઞાન પ્રકરણ 5 : તત્વોનું આવર્તનીય વર્ગીકરણ 1 માર્કના ટૂંક જવાબી પ્રશ્નો

Post a Comment

ડોબરેનરનો નિયમ જણાવો

Show Answer

જવાબ :

કે ત્રિપુટીના ત્રણ તત્વોને પરમાણ્વીય દળના ચઢતા ક્રમમાં ગોઠવવામાં આવે ત્યારે મધ્યમાં રહેલા તત્વોનું દળ અન્ય બે તત્વોના પરમાણ્વીય દળના લગભગ સરેરાશ જેટલું થાય છે.

ડોબરેનરના નિયમનું ઉદાહરણ આપો.

Show Answer

જવાબ :

ડોબરેનરના ત્રિપુટીના નિયમનું ઉદાહરણ: 

 

લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ ધરાવતી ત્રિપુટીઓ લો,

 

આ ત્રણેય તત્વોના દળ અનુક્રમે ૬.૯ , ૨૩.૦ અને ૩૯.૦ છે. અને ત્યારબાદ, લિથિયમ અને પોટેશિયમના પરમાણ્વીય દળની સરેરાશ કાઢીએ તો,

 

લિથિયમ અને પોટેશિયમના પરમાણ્વીય દળની સરેરાશ ૨૨.૯૫ જેટલી થાય છે. અને સોડિયમનો પરમાણ્વીય દળ ૨૩ છે.

ડોબરેનરે ક્યાં વર્ષમાં તત્વોના વર્ગીકરણમાટેનો નિયમ આપ્યો હતો?

Show Answer

જવાબ :

ડોબરેનરે ૧૮૧૭ના વર્ષમાં તત્વોના વર્ગીકરણ માટેનો નિયમ આપ્યો હતો

તત્વોના વર્ગીકરણ માટે ન્યૂલેન્ડના અષ્ટકના નિયમ જણાવો. 

Show Answer

જવાબ :

ન્યૂલેન્ડના અષ્ટકના નિયમ: દરેક આઠમાં નંબરે રહેલ તત્વના ગુણધર્મો પહેલા નંબરે રહેલ તત્વના ગુણધર્મને મળતા આવે છે.


આ રીતે તેણે સંગીતના સુરો સાથે તુલના કરીને એક અષ્ટક બનાવ્યું, જેને અષ્ટકનો સિદ્ધાંત કહેવાય છે.

ન્યૂલેન્ડે ક્યાં વર્ષમાં તત્વોના વર્ગીકરણ માટેનો અષ્ટકનો નિયમ આપ્યો હતો?

Show Answer

જવાબ :

ન્યૂલેન્ડે ૧૮૮૬ના વર્ષમાં તત્વોના વર્ગીકરણ માટેનો અષ્ટક નિયમ આપ્યો હતો

ડોબરેનરની ત્રિપુટીનું ઉદાહરણ જણાવો 

Show Answer

જવાબ :

 1. લિથિયમ, સોડીયમ અને પોટેશિયમ


2. કેલ્શિયમ, Strontium, બેરિયમ


3. ક્લોરિન, બ્રોમિન, આયોડીન     

ન્યૂલેન્ડના અષ્ટકનો નિયમ ક્યાં તત્વ સુધી લાગુ પાડી શકાયો?

Show Answer

જવાબ :

ન્યૂલેન્ડના અષ્ટકનો નિયમ કેલ્શિયમ તત્વ સુધી લાગુ પાડી શકાયો

મેન્ડેલીફે તત્વોને તેમના આવર્તકોષ્ટકમાં ક્યાં ગુણધર્મોને આધારે વર્ગીકૃત કર્યા? 

Show Answer

જવાબ :

મેન્ડેલીફે તત્વોને તેમના મૂળભૂત ગુણધર્મો, પરમાણ્વીય દળ, અને રાસાયણિક ગુણધર્મોની સામ્યતાને આધારે વર્ગીકૃત કર્યા હતા. 

મેન્ડેલીફે આવર્તકોષ્ટક બનવાની શરૂઆત કરી ત્યારે કેટલા તત્વો જાણીતા હતા?

Show Answer

જવાબ :

મેન્ડેલીફે પોતાના આવર્તકોષ્ટક બનાવવાની શરૂઆત કરી ત્યારે કુલ ૬૩ તત્વો જાણીતા હતા.

મેન્ડેલીફે તેના આવર્તકોષ્ટકના રાસાયણિક ગુણધર્મોમાં ક્યાં તત્વો ઉપર ધ્યાન આપ્યું હતું?

Show Answer

જવાબ :

મેન્ડેલીફે તેના આવર્તકોષ્ટકના રાસાયણિક ગુણધર્મોમાં ઓક્સિજન અને હાઈડ્રોજન વચ્ચે બનતા સંયોજનો પર ધ્યાન આપ્યું હતું. 

Related Posts

Post a Comment

Subscribe Our Newsletter
close