-->
3 thi 8 nu material

NEW UPDATE

STD 5 AASPAS UNIT 16 SVACHHTA AAPNU KAAM ધોરણ ૫ પર્યાવરણ આસપાસ એકમ – 16. સ્વચ્છતા આપણું કામ

Post a Comment

ASPAS PARYAVARAN STD 5 ॥ EKAM 16 || SWACHHATA APANU KAM || PART-1 || સ્વછતા આપણું  કામ - YouTube 

સુચના : નીચે આપેલા પ્રશ્નો અને જવાબો વાંચો અને ત્યારબાદ તેની નીચે આપેલ ક્વીઝ આપો    

1. સફાઈ કામદાર શું શું કામ કરે છે ?
ઉત્તર :
જાહેર સ્થળો, રસ્તા, શાળા, શેરી, ઑફિસો, ગટર, શૌચાલય વગેરે સાફ કરવાનું કાર્ય સફાઈ કામદાર કરે છે.

2. જાહેર સ્થળોની સફાઈ કરવા માટે સફાઈ કામદારોની નિમણુક કોણ કરે છે ?
ઉત્તર :
જાહેર સ્થળોની સફાઈ કરવા માટે સફાઈ કામદારોની નિમણૂક જે - તે સ્થાનિક સ્વરાજયની સંસ્થા એટલે કે ગ્રામપંચાયત, નગરપાલિકા કે મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે.

3.સ્વચ્છતા જાળવવી એ કોની ફરજ છે ? 

ઉત્તર : D
(A) માત્ર સરકારની 
(B) માત્ર સફાઈ કામદારની
(C) માત્ર વડીલોની 
(D) આપના સૌની

4 . દરેક જગ્યાની સ્વચ્છતા રાખવામાં આપણી શું જવાબદારી છે ?
ઉત્તર :
દરેક જગ્યાની સ્વચ્છતા રાખવી એ માત્ર સફાઈકર્મીઓની જવાબદારી નથી, તે આપણા બધાની જવાબદારી છે. આ માટે આપણે આપણી જગ્યા અને તેની આસપાસની જગ્યા સ્વચ્છ રાખવી જોઈએ. કચરો કચરાપેટીમાં જ નાખવો જોઈએ. ગમે ત્યાં કચરો ફેંકવો ન જોઈએ. શૌચાલયનો ઉપયોગ કરવો જોઈએ અને ઉપયોગ કર્યા પછી પાણીથી તેને સ્વચ્છ કરવું જોઈએ. ઘરના કચરા કે એંઠવાડનો ગમે ત્યાં નિકાલ ન કરવો જોઈએ.

5.જો સફાઈ કામદારો સફાઈનું કામ ન કરે તો શું થાય ? 
ઉત્તર: જો સફાઈ કામદારો સફાઈનું કામ ન કરે તો ઠેર - ઠેર કચરાના ઢગલા જોવા મળે. આસપાસ બધે ગંદકી દેખાય. રોગચાળો ફેલાવાનો અને બીમાર થવાની સંભાવના વધી જાય. રસ્તા, શેરીઓ વગેરેની સફાઈ ન થવાથી બધે જ ગંદકી જોવા મળે. લોકો ઘરનો કચરો શેરી કે મહોલ્લા કે ખુલ્લી જગ્યામાં નાખે તો બધે કચરાના ઢગલા જોવા મળે. કોઈ કચરો ઉપાડે નહિ તો કચરાના ડુંગર બની જાય જેનાથી આસપાસના લોકોનું સ્વાથ્ય પણ જોખમાય. ગટર લાઇન સાફ ન થતાં બધી ગટરો ઊભરાય અને ગંદકી ફેલાય.

6. શંકરભાઈ શું કામ કરે છે ?
ઉત્તર :
શંકરભાઈ ગામની સફાઈની કામગીરી કરે છે . 

7. શંકરભાઈ ___ વર્ષથી સફાઈનું કામ કરે છે.
ઉત્તર :
30

8. શંકરભાઈ સફાઈનું કામ શા માટે કરે છે ?
ઉત્તરા :
શંકરભાઈના પિતા સફાઈનું કામ કરતા હતા. તેમના મૃત્યુ બાદ શંકરભાઈ આ કામ કરી તેમાંથી રોજગારી મેળવે છે. માટે શંકરભાઈ પોતાનું ગુજરાન ચલાવવા સફાઈનું કામ કરે છે.

9. શંકરભાઈના બાળકો સફાઈનું કામ કરવા રાજી છે. 
(√ કે X ) 
ઉત્તર : X

10. શંકરભાઈને ગામલોકો સામે શો આક્રોશ છે ?
ઉત્તર :
શંકરભાઈને આ કામ કરવું ગમતું નથી , પણ રોજગારી મેળવવા તે આ કામ કરે છે. તે ગામલોકો સામે આક્રોશ વ્યક્ત કરે છે કે, ભણેલા ગણેલા લોકોને જયારે ગંદકી કરતાં જુએ છે ત્યારે વધારે ગંદુ લાગે છે. ગંદકી કરે એને ભણેલા કહેવાય ?

11. જો શંકરભાઈ જેવા લોકો સફાઈનું કામ નહીં કરે તો હવે આ કામ કોણ કરશે ?
ઉત્તર :
જો શંકરભાઈ જેવા લોકો સફાઈનું કામ નહીં કરે તો હવે આ કામ આપણે જાતે કરવું પડશે. બધા ગંદકી કરવાનું બંધ કરે કે ઓછો કચરો ફેલાવે અને દરેક વ્યક્તિ સ્વચ્છતાનું ધ્યાન રાખે તે જરૂરી છે.

12 . શંકરભાઈ જેવા લોકો શા માટે સફાઈ કરવાનું કામ કરે છે ?
ઉત્તર :
શંકરભાઈ જેવા લોકો ગરીબીને કારણે તથા ઓછો ભણતરને લીધે બીજું કોઈ કામ ન મળવાને લીધે સફાઈ કરવાનું કામ કરે છે.

13. શંકરભાઈ જેવા લોકોને સફાઈ કામ કરવામાં કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ?
ઉત્તર:
શંકરભાઈ જેવા લોકોને સફાઈ કામ કરવામાં જુદી જુદી મુકેલીઓ પડે છે. જેમ કે, કચરો વાળતી વખતે ધૂળ શ્વાસમાં જવાથી શ્વાસની બીમારી થાય છે. ક્યારેક હાથ - પગમાં ઈજા થાય છે. તો ગટરની સફાઈ કરતી વખતે ક્યારેક બેભાન પણ થઈ જવાય છે. પરંતુ સમાજના લોકો તેમની પ્રત્યે ખરાબ વર્તન કરે ત્યારે તેમને વધુ દુઃખ થાય છે.

14. મોટા ભાગના સફાઈ કામદારના બાળકો કયા કામ તરફ વળ્યા છે ?
ઉત્તર :
મોટા ભાગના સફાઈ કામદારના બાળકો ભણ્યા છે અને તેમને આ કામ કરવું ગમતું નથી . તેઓ શિક્ષક, ડોક્ટર, કલાર્ક, ઇજનેર વગેરે વ્યવસાય તરફ વળ્યા છે .

15. સફાઈ કામદારની મદદ કરવા આપણે શું કરવું જોઈએ? 
ઉત્તર : સફાઈ કામદારની મદદ કરવા આપણે આપણા ઘરનો કચરો રસ્તા પર ગમે ત્યાં ફેંકવાની જગ્યાએ એક કચરાપેટીમાં એકઠો કરવો જોઈએ. જયારે તેઓ સફાઈ કરવા આવે ત્યારે અથવા તો કચરો લેવાની ગાડી આવે ત્યારે તેમને તે કચરો આપી દેવો જોઈએ. જેથી આપણી આસપાસનું આંગણું પણ ચોખ્ખું રહે તથા તેમના કામમાં મદદ થાય.

16. તમારી આસપાસ જોવા મળતા વિવિધ કામ કરનારા કારીગરોનાં નામ જણાવો .
ઉત્તર : અમારી આસપાસ કરિયાણાવાળા, શાકભાજીવાળા, કંદોઈ, દૂધવાળા, પસ્તીવાળા, પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન, ધોબી, મિકેનિક, ડૉક્ટર, નર્સ, કેમિસ્ટ લોકો જોવા મળે છે.

17. તમને જોવા મળતા લોકોમાંથી તમને કેવાં કામ કરવાં ગમશે ? શા માટે ? ( ગમે તે પાંચ લખો.)
ઉત્તર : મારી આસપાસ જોવા મળતા લોકોમાંથી મને નીચે જેવાં કામ કરવાં ગમશે : 
(1) શિક્ષક : શિક્ષક બાળકોને ભણાવે છે, જેથી બાળકોનું જીવનઘડતર થાય છે. 
(2) ડૉક્ટર - નર્સ : જે બીમાર વ્યક્તિની સારવાર અને સેવા કરી તેમને મદદ કરે છે. 
(3) ચિત્રકાર કે સંગીતકાર બનવાનું કેમ કે, ચિત્ર, સંગીત એક કલા છે જે બધા લોકો નથી કરી શકતા.
(4) સફાઈકામ - આ કામ બધાને કરવું ગમતું નથી. પણ તે કરવાથી સ્વચ્છતા રહેશે અને રોગચાળો નહીં ફેલાય.  
(5) માળી : ફૂલો અને વનસ્પતિ સાથે કામ કરવા મળે છે.

18. યોગ્ય જોડકાં જોડો :

વિભાગ

વિભાગ

(1) કાછિયો

(A) બાળકની સંભાળ રાખનાર

(2) પેથોલોજિસ્ટ

(B) બીમારીની સારસંભાળ કરનાર

(3) કેમિસ્ટ

(C) શાકભાજી વેચનાર

(4) આયા

(D) લેબોરેટરીમાં વિવિધ રીપોર્ટ બનાવનાર

 (5) પરિચારિકા

(E) દવા વેચનાર


જવાબ

(1)-C

(2)-D

(3)-E

(4)-A

(5)- B


19. નીચે આપેલ વ્યવસાયિક કે કારીગર શું કામ કરે છે અને તે કામ કેવી રીતે ઉપયોગી છે તે લખો :
ઉત્તર :
(1) પશુપાલક ગાય - ભેંસ જેવાં દુધાળાં પ્રાણીઓને ઉછેરે છે. ગાય - ભેંસનું દૂધ વેચે છે. આ કામથી લોકોને દૂધ મળે છે.જે તંદુરસ્તી માટે જરૂરી છે.
(2) કરિયાણાવાળો : અનાજ અને જીવનજરૂરી ચીજવસ્તુઓ વેચે છે. લોકો જીવનજરૂરી ચીજવસ્તુઓ સરળતાથી ખરીદી શકે છે.
(3) સફાઈ કામદાર : શેરી, રસ્તા, ગટર ચોખ્ખાં રાખે છે. ગંદકી દૂર હટાવી સ્વચ્છતા ફેલાવે છે , જેથી બીમારી ફેલાતી અટકે છે.
(4) શિક્ષક : બાળકોને ભણાવે છે. ભણતર જીવનઘડતર માટે ખૂબ જ જરૂરી છે. આમ, શિક્ષક ભાવિ નાગરિકોને ઘડે છે.
(5) સિક્યોરિટી ગાર્ડ : બધાની સલામતીનું ધ્યાન રાખે છે. આમ કરવાથી લોકો ભયમુક્ત જીવી શકે છે.
(6) ટ્રાફિક પોલીસ : ટ્રાફિકનું નિયમન કરે છે. આ કામથી રરતા પર વાહનવ્યવહાર સરળતાથી ચાલુ રહે છે.
(7) બસ - ડ્રાઈવર : બસ ચલાવે છે . આ કામથી લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે.
(8) શાકભાજીવાળો : શાકભાજી , ફળ વેચે છે . લોકો સરળતાથી શાકભાજી અને ફળ ખરીદી શકે છે.
(9) ફેરિયો : જુદી જુદી ચીજવસ્તુઓ વેચે છે . આ કામથી લોકોને જોઈતી ચીજવસ્તુઓ મળી રહે છે.
(10) ચુનારો : મકાનને રંગકામ કરે છે . આ કામથી ઇમારતો વધુ સારી દેખાય છે.
(11) કંદોઈ : મીઠાઈ અને ફરસાણ બનાવી વેચે છે. આ કામથી લોકો સરળતાથી મીઠાઈ અને ફરસાણ ખરીદી શકે છે.
(12) ધોબી : કપડાં ધુએ છે અને ઇસ્ત્રી કરે છે. આ કામથી લોકોનાં કપડાં સ્વચ્છ અને સુઘડ બને છે.
(13) કચરો વીણનાર : કચરામાંથી કાગળ, ધાતુ, પ્લાસ્ટિક અલગ કરે છે . તેમના આ કામથી કચરાનું રીસાઈક્લિગ થાય છે.
(14) હમાલ : માલ - સામાન ખસેડવાનું કામ કરે છે . લોકો પોતાનો ભારે સામાન પર અન્ય જગ્યાએ મોકલી શકે છે. 
(15) કમ્યુટર ઓપરેટર : કમ્યુટરમાં જુદી જુદી માહિતી નાખે છે અને માહિતી મેળવે છે. આપણા જીવનનાં ઘણાં કામ સરળ બને છે.

20. આપણી આસપાસના વિવિધ કારીગરો અને કામ કરનાર આપણને કઈ રીતે ઉપયોગી છે ?
ઉત્તર :
આપણી આસપાસના વિવિધ કારીગરો અને કામ કરનાર લોકોને લીધે આપણા રોજબરોજનાં ઘણાં બધાં કાર્યો સરળ બની જુય છે . આપણે સારી રીતે જીવવા માટે અનેક વસ્તુઓની જરૂર પડે છે જે બધું એક જગ્યાએથી કે કે વ્યક્તિ પાસેથી મળતું નથી. માટે આ બધા જ લોકો . આપણને કોઈ ને કોઈ રીતે મદદરૂપ બને છે. જેમ કે , અનાજ , કરિયાણું વગેરે લેવા માટે કરિયાણાવાળો , દવા માટે કેમિસ્ટ , રંગ કરવા માટે ચુનારો , ઘર બાંધવા માટે કડિયો , મજૂર વગેરે ઉપયોગી છે.

21. તમારા મતે કેવા કામ કરવાનું લોકો પસંદ નથી કરતા ? કેમ?
ઉત્તર :
મારા મત મુજબ સફાઈકામ કરવાનું, કચરો વીણવાનું , લારી ખેંચવાનું વગેરે જેવાં કામ કરવાનું લોકો પસંદ નથી કરતા, કારણ કે આ કામને તેઓ નીચું અને ગંદું માને છે .

22. ગાંધીજી.............ના આગ્રહી હતા.
ઉત્તર :
સ્વચ્છતા

23. .............ગાંધીજીના મિત્ર હતા.
ઉત્તર : B
(A) નારાયણભાઈ 
(B) મહાદેવભાઈ
(C) ગિજુભાઈ 
(D) નવીનભાઈ

24. નારાયણભાઈ ગાંધીજીના પુત્ર હતા . (√ કે X)
ઉત્તર :
X.

25. કોણ નાનપણથી જ ગાંધીજી સાથે રહેતા હતા?
ઉત્તર :
C
(A) મહાદેવભાઈ 
(B) નાનુભાઈ
(C) નારાયણભાઈ 
(D) કસ્તુરબા

26. ગાંધીજીના આશ્રમમાં રહેતી દરેક વ્યક્તિએ જુદાં જુદાં કામ કરવાં પડતાં હતાં. (√ કે X)
ઉત્તર :

  27. 11 વર્ષની ઉંમરે નારાયણભાઈ કયા આશ્રમમાં રહેતા હતા ? 

ઉત્તર : D
(A) કોચરબ આશ્રમ 
(B) હરિજન આશ્રમ
(C) જૈન આશ્રમ 
(D) સાબરમતી આશ્રમ

28. પહેલાંનાં શૌચાલય કેવાં હતાં ?
ઉત્તર :
પહેલાંનાં શૌચાલયમાં બેઠક નીચે બાસ્કેટ ( ડબ્બા જેવું ) મૂકવામાં આવતું. સંડાસ ગયા પછી તે બાસ્કેટ જાતે ઉપાડીને ખાળકૂવા પાસે ખાલી કરવું પડતું હતું.

29. ગાંધીજીના આશ્રમમાં કયું કામ દરેક જણે જાતે કરવું પડતું હતું ?
ઉત્તર :
ગાંધીજીના આશ્રમમાં સંડાસ સાફ કરવાનું કામ દરેક જણે જાતે કરવું પડતું હતું.

30. ગાંધીજીના આશ્રમમાંથી ઘણા લોકો કેમ જતા રહેતા હતા ?
ઉત્તર :
ગાંધીજીના આશ્રમનો નિયમ હતો કે દરેક વ્યક્તિએ શૌચાલયમાંથી બાસ્કેટ ઊંચકીને ખાળકૂવા સુધી લઈ જઈ ત્યાં ખાલી કરવું પડતું. સામાન્ય રીતે આ કામ તે સમયે એક જ જાતિના લોકો કરતા હતા. વળી, આ કામને ઘણા લોકો ગંદુ કામ માનતા હોવાથી આશ્રમમાં રહેવા આવનાર ઘણા લોકોને આ કામ ગમતું ન હતું. આથી આ કામના ડરથી ઘણા લોકો ગાંધીજ નો આશ્રમ છોડી જતા રહેતા હતાં.

31. વર્ધા શહેર ક્યા રાજ્યમાં આવેલું છે ? 
ઉત્તર : B
(A) ગુજરાત 
(B) મહારાષ્ટ્ર
(C) મધ્યપ્રદેશ 
(D) રાજસ્થાન

32. ગાંધીજી અને તેમના સાથીઓ ગામમાં કર્યું કામ કરવા લાગ્યા ?
ઉત્તર :
ગાંધીજી અને તેમના સાથીઓ ગામમાં શૌચાલયની સફાઈનું કામ કરવા લાગ્યાં.

33. નારાયણભાઈને કઈ વાતનો ગુસ્સો આવ્યો હતો ? 
ઉત્તર : વર્ધા પાસેના ગામમાં ગાંધીજી અને તેમના સાથીઓ સફાઈ અભિયાન ચલાવતા હતા. ત્યારે એક દિવસ ગામનો એક માણસ શૌચક્રિયા પતાવી શૌચાલયની બહાર નીકળીને મહાદેવભાઈ પાસે આવીને કહેવા લાગ્યો. આ શૌચાલયમાં ખૂબ ગંદકી છે. તમે તેને સાફ કરો. આ જોઈને નારાયણભાઈને ગુસ્સો આવ્યો હતો.

34. ગાંધીજીના મતે..............એ ખૂબ ગંભીર બાબવત છે. 
ઉત્તર : A
(A) અસ્પૃશ્યતા 
(B) ગરીબી
(C) અસ્વચ્છતા 
(D) શૌચક્રિયા

35. ગામલોકો સ્વચ્છતા વિશે શું માનતા હતા ?
ઉત્તર :
સ્વચ્છતા રાખવાનું કામ તથા શૌચાલય સાફ કરવાનું કામ ગાંધીજી અને તેમના સાથીઓનું છે - એવું ગામલોકો માનતા હતા.

36. ગામના ગંદા શૌચાલય તરફથી લોટો લઈને આવતા માણસે મહાદેવભાઈ સાથે કેવો વર્તાવ કર્યો ? કેમ ?
ઉત્તર :
ગામના ગંદા શૌચાલય તરફથી લોટો લઈને આવતા માણસે મહાદેવભાઈ સાથે ખરાબ વ્યવહાર કર્યો. કારણ કે, તે સમયમાં સફાઈકામ કરવાવાળા લોકોને અસ્પૃશ્ય માનવામાં આવતા હતા.

37. ગાંધીજીના મતે કોઈ કામ શીખવું એ...........છે.
ઉત્તર :
કલા

38. ગાંધીજી કહેતા કે દરેક માણસે દરેક પ્રકારનાં કામ કરવાં જોઈએ . તમે શું માનો છો ?
ઉત્તર :
ગાંધીજીના મતે દરેક માણસે દરેક પ્રકારનાં કામ કરવાં જોઈએ. જો આમ થાય તો આખો સમાજ બદલાઈ જાય. અમીર - ગરીબનો ભેદ જતો રહે. આપણો દેશ સ્વાવલંબી બને.

39. શૌચાલય અને ગટર સાફ કરતાં વ્યકિતઓ સાથે તમે કેવું વર્તન કરશો?
ઉત્તર :
શૌચાલય અને ગટર સાફ કરતાં વ્યક્તિઓ સાથે સારી રીતે વર્તીશું, તેમને માન આપીશું , કારણ કે કોઈ કામ ખરાબ નથી.

40. જગુભાઈ શું કામ કરતા હતા ? 
ઉત્તર : C
(A) શિક્ષકનું 
(B) પશુપાલનનું 
(C) ખેતીનું 
(D) સીવણનું

41. અન્નનો બગાડ અટકાવવા જગુભાઈ શું કરતા હતા ? 
ઉત્તર : ગામમાં કોઈ પણ પ્રસંગમાં જગુભાઈ અચૂક હાજર રહેતા . ભોજન સમયે જો કોઈની થાળીમાં અન્ન બાકી રહ્યું હોય નો તે પ્રેમથી સમજીવીને તે એમને ખવડાવતા . આ રીતે તેઓ અન્નનો બગાડ થતો અટકાવતા .

42. જગુભાઈ પાસેથી આપણે શું શીખવા જેવું છે ?
ઉત્તર :
જગુભાઈ પાસેથી આપણે ઘણું શીખવા જેવું છે. જેમ કે, દરેક કામ ચોકસાઈ અને ઝીણવટથી કરવું જોઈએ. અન્નનો બગાડ થતો અટકાવવો જોઈએ. જો આસપાસ કચરો પડેલો દેખાય તો બીજાને કહેવા કરતાં જાતે ઉપાડી લઈને તેને યોગ્ય જગ્યાએ નાખી દેવો જોઈએ, જેથી લોકો જોઈને શીખે.

43. સ્વચ્છતા જીળવવી એ દરેકની જવાબદારી છે.(√ કે X )
ઉત્તર :

44. તમારી શાળાની સફાઈ કોણ કરે છે ? તેઓ શાની - શાની સફાઈ કરે છે ? 
ઉત્તર :
અમારી શાળાની સફાઈ શાળા દ્વારા રાખવામાં આવેલ સફાઈ કર્મચારી ભાઈઓ - બહેનો કરે છે , તેઓ શાળાના બધા ઓરડા, ગેલેરી, પાટલીઓ, મેદાન, સંડાસ - બાથરૂમ વગેરે સાફ કરે છે .

45. શાળામાં તમે સફાઈ કામ કરતા લોકોને કેવી રીતે મદદ કરશો ?
ઉત્તર :
અમે અમારી પેન્સિલનો કચરો કચરાટોપલીમાં જ નાખીશું, નોટબુકમાંથી જો પાનું ફાડ્યું હોય તો પણ કચરાપેટીમાં જ નાખીશું. રિસેસમાં નાસ્તો કરતી વખતે જો કંઈ ઢોળાયું હોય તો તે ભેગું કરીને કચરાપેટીમાં નાખીશું. આ રીતે અમે સફાઈ કરતા લોકોને મદદ કરીશું.

46. શું છોકરાઓ અને છોકરીઓ , પુરુષો અને મહિલાઓ દ્વારા કરવામાં આવતાં કામ સરખાં છે ?
ઉત્તર :
ના, છોકરાઓ અને છોકરીઓને કરવાનાં કામો અલગ - અલગ છે, પણ અત્યારના જમાનામાં દરેક પ્રકારનાં કામ દરેક કરે છે. તેમાં સ્ત્રી પુરુષનો કોઈ ભેદભાવ નથી. 

47. કામની વહેંચણીમાં તમે કોઈ બદલાવ લાવવા માગો છો ? કેવા પ્રકારનો ? 
ઉત્તર :
હા , કામની વહેંચણીમાં દરેક વ્યકિતને તેમની ક્ષમતા અને કુશળતા અનુસારનું કામ મળે તેવું હું ઇચ્છું છું, તેમાં સ્ત્રી કે પુરુષનો ભેદ ન હોવો જોઈએ.

 ઓનલાઈન ટેસ્ટ નીચે આપેલી છે

TEST A

ONLINE TEST B

Related Posts

Post a Comment

Subscribe Our Newsletter
close