-->
3 thi 8 nu material

NEW UPDATE

STD 10 SCIENCE UNIT 8 Sajivo kevirite Prajanan kare che? 3 Mark Short Questions ધોરણ ૧૦ વિજ્ઞાન પ્રકરણ 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે ? 3 માર્કના ટૂંક જવાબી પ્રશ્નો

Post a Comment

પ્રકરણ 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે ?

આ પ્રકરણમાં ભિન્નતાઓનું મહત્વ, એકલ સજીવો દ્વારા ઉપયોગમાં લેવાતી પ્રજનનની પદ્ધતિઓ( ભાજન, અવખંડન, પુનર્જનન, કાલિકા સર્જન), વાનસ્પતિક પ્રજનન, બીજાણું નિર્માણ, લિંગી પ્રજનન( લિંગી પ્રજનનની પદ્ધતિઓ), સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન, માનવમાં લિંગી પ્રજનન(નર પ્રજનન તંત્ર, માદા પ્રજનન તંત્ર, અંડકોષનું ફલન, પ્રાજનનીક સ્વાસ્થ્ય) વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સજીવોના પ્રજનનમાં DNAની અગત્યતા વર્ણવો.

Show Answer

જવાબ :

કોષના કોષકેન્દ્રમાં રહેલા DNAના અણુઓમાં આનુવંશીક લક્ષણોનો સંદેશ હોય છે. આ DNA પિતા કે માતા તરફથી પોતાના સંતાનોમાં આવે છે.

જો DNAમાં વહન પામતા પ્રોટીનમાં ફેરફાર થાય તો, સજીવોની શારીરિક સંરચનામાં પણ વિવિધતા જોવા મળે છે.

પ્રજનનની મૂળભૂત ઘટના DNAની પ્રતિકૃતિ બનાવવા માટેની છે.

DNAની પ્રતિકૃતિ બનાવવા માટે કોષો વિવિધ રાસાયણિક ક્રિયાઓનો ઉપયોગ કરે છે.

જે પ્રજનન કોષો, DNAની બે પ્રતિકૃતિ બનાવે છે, તેઓનું એકબીજાથી અલગ હોવું જરૂરી છે, પરંતુ DNAની એક પ્રતિકૃતિને મૂળકોષમાં રાખીને, બીજી પ્રતિકૃતિને મૂળકોષની બહાર કાઢી શકીએ નહિ.

કારણ કે બીજીઓ પ્રતિકૃતિ પાસે જૈવિક ક્રિયાઓના રક્ષણ માટે સંગઠિત કોષીય સંરચના હોતી નથી.

આમ, DNAની પ્રતિકૃતિ બનાવવાની સાથે સાથે બીજી કોષીય સંરચનાઓનું સર્જન પણ થાય છે અને તેના પછી DNAની પ્રતિકૃતિ અલગ થઇ જાય છે. પરિણામે, એક કોષ વિભાજીત થઇને બે કોષો બનાવે છે.

કોઈ પણ જૈવ રાસાયણિક પ્રક્રિયા સંપૂર્ણપણે વિશ્વસનીય હોતી નથી, આથી DNA પ્રતિકૃતિની પ્રક્રિયામાં ભિન્નતા હોય શકે છે.

જેથી, નિર્માણ પામનારા DNAની પ્રતિકૃતિ તો એકસમાન હશે પરંતુ, મૂળ DNAને સમરૂપ નહિ હોય.

DNA પ્રતિકૃતિઓની ભિન્નતાઓ બે પ્રકારની હોય છે જેમાં એક ભીન્ન્તાઓ ઝડપી હોય અને બીજી જેમાં ભિન્નતાઓ ઝડપી હોતી નથી.

કેટલીક વખત આ ભિન્નતાઓ એટલી તીવ્ર કે ઝડપી હોય છે કે, DNAની નવી પ્રતિકૃતિ પોતાના કોષીય સંગઠનની એટલે કે મૂળ પ્રતિકૃતિ જેવી સમાન હોતી નથી. તેથી, આ પ્રકારની DNA પ્રતિકૃતિની ઉત્પન્ન થનાર સંતતિ કે બાળકોષ મૃત્યુ પામે છે અથવા તો નાશ પામે છે.

DNA પ્રતિકૃતિની વિભિન્નતાઓ ઝડપી હોતી નથી. આમ, બાળકોષો સમાન હોવા છતાં, કોઈ ને કોઈ સ્વરૂપે એકબીજાથી ભિન્ન હોય છે. બાળકોષોમાં જોવા મળતી આ, ભિન્નતાઓ જૈવવિકાસના ઉદવિકાસનો આધાર છે.

સજીવોની ઉત્તરજીવિતતા માટે જરૂરી ભિન્નતાનું મહત્વ સમજાવો.

Show Answer

જવાબ :

કોઈપણ સજીવોની જાતી અને વસ્તીના સ્થાયિત્વનો સંબંધ પ્રજનન સાથે રહેલો છે.

સજીવોની વસ્તીની યોગ્ય નીવસનતંત્રમાં વસવાટ પ્રાપ્ત કરવાની ક્ષમતા તેઓની પ્રજનન કરવાની ક્ષમતાને આધારે હોય છે. 

સજીવની શારીરિક સંરચના જળવાય રહે તેમજ બંધારણ જળવાય રહે, તે માટેપ્રજનન દરમિયાન DNA પ્રતિકૃતિનું સમાન હોવું જરૂરી છે.

સજીવો પોતાની રીતે શારીરિક ફેરફાર કરીને, વિશિષ્ટ વસવાટને અનુકુળ થાય છે અને આ પ્રકારે જીવનની યોગ્યતા પ્રાપ્ત કરે છે. પરંતુ, વસવાટમાં પણ અનેક પરિવર્તન આવી શકે છે.

જેમ કે, પૃથ્વીનું તાપમાન ઓછુ કે વધારે થઇ શકે છે. પાણીના સ્તરમાં પરિવર્તન અથવા કોઈ ઉલ્કાની અથડામણ વસવાટમાં આવતા પરિવર્તનના કેટલાક ઉદાહરણો છે.

જો એક વસ્તી વસવાટને અનુકુળ છે, અને તે વસવાટમાં કોઈ ઝડપી પરિવર્તન આવે તો, આવી અવસ્થામાં વસ્તીનો સંપૂર્ણ વિનાશ થવાની સંભવના રહેલી છે. તેમ છતાં આ વસ્તીના કેટલાક સજીવોમાં જો ભિન્નતા આવેલી હશે તો, તેઓ જીવતા રહેવાની સંભાવના ધરાવે છે.

ઉદાહરણ તરીકે જોઇએ તો, સામાન્ય ગરમ પાણીમાં જીવાણુંઓની વસ્તી હોય  છે, અને ગ્લોબલ વોર્મિંગના લીધે પાણીનું તાપમાન વધી જાય તો, મોટા ભાગના જીવાણુઓ મરી જાય છે.

જેની સામે તાપમાનને સહન કરવાની ક્ષમતા ધરાવતા જીવાણુઓ જીવિત રહી શકે છે અને વૃદ્ધિ પણ કરી શકે છે.

આમ, આપણે કહી શકીએ કે, ભિન્નતાઓ વિવિધ જાતિના અસ્તિત્વ માટે ઉપયોગી છે.

અવખંડનની પ્રજનન રીત વિશે ટૂંક નોધ લખો.

Show Answer

જવાબ :

સરળ સંરચનાવાળા બહુકોષિય સજીવોમાં, પ્રજનનની સરળ રીત કાર્ય કરે છે. જેમ કે સ્પાયરોગાયરામાં અવખંડનની ક્રિયાથી પ્રજનન થાય છે.

સ્પાયરોગાયરા લીલી તંતુમય, લાંબી રચના ધરાવે છે. જે પાણીમાં ઉગતી લીલ છે. સ્પાયરોગાયરા વિકાસ પામીને નાના-નાના ટુકડાઓમાં અવખંડિત થઇ જાય છે. ત્યારબાદ આ ટુકડાઓ વૃદ્ધિ પામીને, નવા સજીવ કોષમાં વિકાસ પામે છે.

આમ, જે બહુકોષી સજીવના ખંડો છુટા પડીને, નવા સજીવ તરીકે અસ્તિત્વ ધરાવે તે પ્રકારના લિંગી પ્રજનનને અવખંડન કહેવાય છે.

પરંતુ, બધા જ બહુકોષીય સજીવો માટે, આ સાચું નથી.

કારણ કે, મોટાભાગના બહુકોષીય સજીવ, વિવિધ કોષોના સમૂહ તરીકે વર્તતા નથી.

વિશેષ કાર્યો માટે, વિશિષ્ટ કોષો સંગઠિત થઈને પેશીનું નિર્માણ કરે છે. ત્યારબાદ પેશી સંગઠિત થઈને અંગ બનાવે છે.

Related Posts

Post a Comment

Subscribe Our Newsletter
close